આ વિષય એક મિત્ર સાથે ચર્ચા કરતા મળ્યો. તેથી વિચાર્યુ કે આને લેખ નુ સ્વરુપ આપુ.
- ઈસરોએ મુન મિશન ની જાહેરાત કરી ત્યારે કોઈક બોલ્યુ “અરે આપણો દેશ ગરીબ છે. આપણને આવા ખર્ચા ના પોસાય. એના કરતા ગરીબો ને કંઈક આપો ને…”
- મોટુ ભવ્ય મંદિર થતુ જોઇને ફરી કોઇક બોલ્યુ “મંદિરની શુ જરુર છે. એના કરતા ગરીબોને કંઇક આપોને….”
- સરદાર સરોવર ડેમ પર વલ્લભભાઈ પટેલ ની વિશ્વની સૌથી મોટી મૂર્તિ મુકાવાના સમાચાર મલ્યા ને ફરી કોઇક બોલ્યુ. “આવા ખોટા ખર્ચ કરવાની શુ જરુરત છે. એના કરતા ગરીબોને કંઇક આપોને….”
ગરીબાઈ દુર ના થાય ત્યાં સુધી કોઇ ક્ષેત્ર માં પ્રગતી જ નહી કરવાની?
રમત – ગમતમાં નહી , વિજ્ઞાન – ટેકનોલોજીમાં નહી, ધાર્મીક ક્ષેત્રમાં નહી, કોઇ પ્રગતી ના કરો બસ ગરીબાઇ નો શોક પાળ્યા કરવાનો?
ભીખ માંગનારા સો ભીખરી માંથી કેટલા ભીખરી શારીરિક કે માનસિક રીતે ખોડ વાળા હશે?
ભીખારી ને ભીખ ના બદલે થોડુ કામ સોંપો પછી જુઓ એનો રૂઆબ.
એક જોક વાંચી હતી:
એક વ્યક્તિએ ભીખરી ને પુછ્યુ “જો ભગવાન તને ગાડી આપે તો તુ શુ કરે?”
ભીખારી બોલ્યો ”તો ગાડીમાં ભીખ માંગવા નીકળુ”
એક પ્રશ્ન “જો કોઇ ભીખારીને 10,000 કે 1 લાખ રૂપિયા આપવામાં આવે તો તેની ગરીબાઇ કેટલા સમય માટે દુર થઇ જાય?”
અરે ભાઇ ગરીબો પ્રત્યે મને પણ હમદર્દી છે. મને પણ દુખ થાય છે જ્યારે કોઇને બે ટાઇમ પેટ ભરીને ખાવા નથી મળતુ. કુપોષણ ને કારણે જ્યારે કોઇ બાળક નુ મ્રૃત્યુ થાય છે ત્યારે હ્રદય વલોવાઇ જાય છે.
પણ એનો મતલબ એ જ કે બસ બીજુ કાંઇ ના વિચારો…..
કોઇ ક્ષેત્રમાં વિકાસ ના કરો….
કંઇ નવુ ના વિચારો….
બસ ગરીબો ને પંપાળ્યા કરો…..
એમ પ્રગતિ ના થાય.
ગરીબી દુર થવીજ જોઇયે. હુ પણ એ જ ઇચ્છુ છુ પરંતુ ગરીબી છે કેમ તે જાણવુ છે?
કાંણા માટલા માં કેટલુ પાણી રેડો તો માટલુ ભરાય?
અરે ભાઇ, પહેલા તો કાંણુ પુરવુ પડે તો જ પાણી ભરાય.
એ કાંણા કયા? કામચોરી, મફતનુ ખાવાની આદત, તમાકુ, બિડી, દારુ, જુગાર, ભુવા, માદળીયા……….
ગરીબાઈ કેવી રીતે દુર કરવી?
થોડા મારા મૌલિક વિચારો રજુ કરુ છુ.
એક પરિવાર માં ત્રણ માણસો મજુરી કરતા હોય અને પાંચ જણા જમવા વાળા હોય તો રોજ ની 300 રૂપિયા લેખે 900 રૂપિયા કમાણી થાય અને વધુ માં વધુ 500 ખર્ચો બાદ કરતા પણ 400 ની બચત થાય.
શુ ઓછી બચત કહેવાય?
શાકભાજી ની લારી વાળા નો એક દિવસ નો ઓછામાં ઓછો નફો 500 રૂપિયા છે. માન્યા માં આવે છે?
ગરીબ માણસ ગરીબ છે તે માટે એ ગરીબ પોતે જવાબદાર ખરો?
થાક ઉતારવાનો શુ એક માત્ર ઉપાય દારૂ છે.?
શુ તમાકુ ખાધા વિના કામ કરવાનો મૂડજ ના આવે?
શુ બિડી પીધા વિના પેટ સાફ જ ના આવે?
ભારત દેશમાં 30 કરોડ લોકો ગરીબ છે. પણ કેટલાની માનસિકતા ગરીબ છે.?
મારી દ્રશ્ટી એ ઉપાય બે છે.
- ગરીબોને કામ આપો
- વ્યસન અને વહેમ દુર કરો.
આટલા ખુલાશા બાદ પણ જો કોઇ પણ વિકાસ લક્ષી પ્રોજેક્ટ જોઇને તમને ગરીબો નો જ વિચાર આવે તો તે કાર્ય ની ટીકા કરતા પહેલા સહુથી પહેલા પોતાની જાત ને એ પ્રશ્ન પુછજો કે “મેં પોતે અત્યાર સુધીમાં કેટલા ગરીબો, ને કેટલુ દાન કર્યુ?” પછી જ કોઇ ટીકા ટીપ્પણી કરજો….